News 6E
Breaking News
Breaking NewsLaw information and news

પંચમહાલ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જાણો અત્યાર સુધી કેટલી ફરીયાદ નોંધાઈ

law

ભૂ માફીયા વિરુદ્ધ સકંજો કસવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લા કચેરી ખાતે અરજીઓ કરવામાં આવી રહી છે. ત્ચારે આ કાયદા હેઠળ પંચમહાલમાં 703 ફરિયાદો અત્યાર સુધીમાં કરવામાં આવી છે.

જેમાંથી હાલમાં 253 ફરિયાદો તપાસ હેઠળ છે જ્યારે 45 ફરીયાદોના મામલામાં પોલીસ કેસ કરવામાં આવ્યો છે. 50 જેટલી ફરીયાદો હેઠળ સ્ટે લવાયો છે જ્યારે જિલ્લા સમિતિ દ્વારા 450 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લામાં વર્ષ 2020માં જમીન સંપાદન કાયદાનો અમલ થયો ત્યારથી અત્યાર સુધીમાં જિલ્લામાં જમીન સંપાદન કાયદા હેઠળ 703 જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ નવા કાયદા હેઠળ ફરિયાદોના નિરાકરણ માટે એક સમિતિની રચના કરવામાં આવતી હોય છે જેમાં જિલ્લા સ્તરે તપાસ કરવામાં આવતી હોય છે.

આ 50 ફરિયાદોમાં નોટિસ, પોલીસ ફરિયાદ કે નિર્ણય સામે સ્ટે આપવામાં આવ્યો છે, જ્યારે આવા કેસોની સુનાવણી અટકાવવામાં આવી છે. અરજીઓની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લાની આ ફરિયાદો હાઇકોર્ટમાં દાખલ કાયદાને પડકારતી પિટિશન પર છે. પીટીશનના નિર્ણયના આધારે જિલ્લાના 50 કેસોનો નિર્ણય કરવામાં આવશે.

Related posts

1650 લોકદરબાર થકી 850 સામે કેસ, 1 વર્ષમાં 9 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું – ગૃહમંત્રી હર્ષ સંઘવી

news6e

“देख भाई, कभी कोई गलत काम…” : नरेंद्र मोदी से हर बार बस यही बोलती थीं हीराबेन, मां के बारे में PM ने बताई हर बात

news6e

JNU की दीवारों पर लिखा- ब्राह्मणों भारत छोड़ो: बनियों के खिलाफ भी लिखे नारे

news6e

Leave a Comment