News 6E
Breaking News
Breaking NewsLaw information and newsNationalNew story and Sayrie

મહારાષ્ટ્ર નજીક મધ દરિયે બોટમાં આગ લાગતા 2 માછીમારો દાઝ્યા, બોટ બળીને ખાખ થઈ

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના રત્નાગીરી નજીક દેવગઢ પોર્ટ થી આશરે 15 માઈલના અંતરે માછીમારી કરવા ગયેલ બોટમાં આગ લાગતા બોટમાં સવાર માછીમારોના જીવ તાળવે ચોટ્યા હતા. જો કે અન્ય બોટ સાથે માછીમારો મદદે દોડી આવતા સૌને હેમખેમ ઉગારવા સાથે બોટના કાટમાળ ને પણ ટોઇંગ કરી કિનારે લાવવામાં સફળતા મળી હતી.

રવિવારના રોજ સવારે આશરે 9:00 કલાકે દેવગઢ પોર્ટ થી 15 નોટિકલ માઈલ ના અંતરે દરિયો ખેડવા ગયેલી માછીમારોની બોટમાં અચાનક આગ લાગતા બોટમાં સવાર માછીમારોના જીવ તાળવે ચોંટ્યા હતા. બોટના ઉપરનો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતા માછીમારી કરવા ગયેલા અન્ય માછીમારો આગની ઘટનામાં ભોગ બનેલ બોટમાં સવાર માછીમારોની મદદથી આવી પહોંચ્યા હતા

દેવગઢ પોર્ટ ના કસ્ટમ અને પોલીસ વિભાગને જાણ થતા સ્પીડ બોટલલ લઇ તેઓ પણ ઘટનાનો ભોગ બનનાર બોટમાં સવાર માછીમારોની મદદથી પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ બે જેટલા વ્યક્તિઓને દાજી જવાથી તેઓને દેવગઢ ની સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે અન્ય બોટ મારફતે નુકસાન પામેલી બોટને ટોઇંગ કરી કાંઠે લાવવામાં આવી હતી.

Related posts

खुदकुशी करने से पहले इस शख्स से तुनिषा की हुई थी लंबी बातचीत, चैट में हुआ खुलासा

news6e

અશ્નીર ગ્રોવરના સ્ટાર્ટઅપમાં ભરતી, 5 વર્ષ સુધી નોકરી કરવા પર મળશે મર્સિડીઝ

news6e

Business Idea: गांव में खाली जमीन में ये काम करे, हर महीने आने लगेंगे पैसे

news6e

Leave a Comment