News 6E
Breaking News
Breaking NewsNational

વન્યપ્રાણીને મોતને ઘાટ ઉતારી છરા વડે શિકાર કર્યાની તસવીર સામે આવતા ચકચારી

વીડિયો લિંક અહીંથી કરો ક્લિક
https://we.tl/t-BNsDnhzdKR 
– – – – – – – – – – – – – – – – – – – – – –

વન્યપ્રાણીને મોતને ઘાટ ઉતારી છરા વડે શિકાર કર્યાની તસવીર સામે આવતા ચકચારી મચી જવા પામી છે. અમરેલીમાં રાજુલા વિસ્તારમાં જૂના શિકારના કેસમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે બે જેટલા આરોપીઓ હજુ ફરાર છે જેની વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લામાં રાજુલા પંથકમાં વન્યપ્રાણીને મોતને ઘાટ ઉતારી છરા વડે શિકાર કર્યાની તસ્વીર સામે આવી હતી. આ તસવીર સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. નીલગાયનું મારણ થયું હોવાનો અંદાજ છે. નીલગાયને સીમમાંથી શિકાર કરીને મોતને ઘાટ ઉતારી તેનો સુપ બનાવી ભોજન પણ કર્યું હતું. તેમ વનવિભાગના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. રાજુલા તાલુકાના ડુંગર ગામ નજીક શિકારી પ્રવુતિ વધતા વનવિભાગ એલર્ટ બન્યું છે. ત્યારે આમ શિકાર કરવાની વાત સામે આવતા DCFએ તપાસના આદેશ આપ્યા છે.

છરા વડે નિલગાયને કાપનારા સહિત 2 લોકોની શોધખોળ હાથ ધરી છે. ધારી ગીરના શેમરડી બાદ ડુંગર વિસ્તારમાં શિકારી પ્રવુતિ કરનારા અસામાજિક તત્વો સક્રિય થયા છે. ગઈકાલે સ્ટાફે ડુંગ ગામમાં જૂના શિકારના કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો હતો. ડુંગર ગામેથી ધરપકડ કરવામાં આવી છે. જો કે, અન્ય બે આરોપીઓ મળી આવ્યા નથી. ચારેય આરોપીઓ ડુંગર ગામના હોવાનું સૂત્રો તરફથીચ જાણવા મળી રહ્યું છે.

Related posts

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે 29 જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે

news6e

શાહરૂખે ખોલ્યું પઠાણનું મોટું રહસ્ય, વર્લ્ડ કપ ફૂટબોલ બાદ અટકળોએ જોર પકડ્યું

news6e

સોમનાથનો અર્થ થાય છે “સોમનો ભગવાન” અથવા “ચંદ્ર” આ સ્થળને પ્રભાસ (“વૈભવનું સ્થાન”) પણ કહેવામાં આવે છે. સોમનાથ મંદિર હિન્દુઓ માટે એક જ્યોતિર્લિંગ સ્થળ છે,

news6e

Leave a Comment